Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાજપ રાજકારણ માટે કરે છે હિન્દુત્વનો ઉપયોગ, અમે હિન્દુત્વ માટે કરીએ છીએ રાજનીતિ, ઉદ્ધવ ઠાકરે એ વિરોધીઓ પર કર્યો પ્રહાર

Maharashtra Uddhav Thackeray Slams BJP and Eknath Shinde Camp mla

શિવસેના (Shivsena) પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રવિવારે સાંજે મુંબઈના કાલાચોકી ખાતે શિવસેનાની શાખાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ભાજપ અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શિંદે જૂથના નેતાઓને બળવાખોર કહેવાનો ઈનકાર કર્યો, તેમને દેશદ્રોહી ગણાવ્યા. કહ્યું કે તેમણે બળવો નથી કર્યો, હરામખોરી કરી છે. જો તેમનામાં હિંમત હોય તો તેમના પિતાના નામ પર ઉભા રહીને બતાવો, તેઓએ માત્ર પાર્ટી જ ચોરી નથી, તેઓ મારા પિતાને પણ ચોરીને લઈ જઈ રહ્યા છે. તેઓ ચોર છે, માણસો નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે પણ શિવસેના પર સંકટ આવ્યું છે ત્યારે શિવસેના વધુ મજબૂત બની છે. તેમણે કહ્યું કે હવે પૈસા અને વફાદારી વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. મારા શિવસૈનિક સામાન્ય લોકો છે, પરંતુ તેઓ અસામાન્ય યુદ્ધ જીતીને બતાવશે. તેમણે કહ્યું કે ભાજપે મુંબઈ પર રાજ કરવું છે. એટલા માટે શિવસેનાને તોડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. હિંદુ-હિંદુ વિભાજન કરવામાં આવી રહ્યું છે. મરાઠી માનસ તોડી રહી છે. શિવસેનામાંથી ઠાકરેનું નામ તોડવામાં આવી રહ્યું છે. અફસોસની વાત એ છે કે આ ષડયંત્રમાં તે ગદ્દાર લોકો સામેલ થઈ ગયા, જેમને શિવસેનાએ મોટા કર્યા છે.

ભાજપ વિભાજનકારી રાજનીતિ કરી રહી છે – હિન્દુથી હિન્દુ, શિવસેનાને ઠાકરેથી

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણા હિન્દુત્વ અને ભાજપના હિન્દુત્વમાં શું તફાવત છે? ભાજપ રાજનીતિ માટે હિન્દુત્વનો ઉપયોગ કરે છે, અમે હિન્દુત્વ માટે રાજકારણ કરીએ છીએ. અમને તોડવાની તેમની રાજનીતિ સફળ નહીં થાય. શિવસેનાના મૂળ મજબૂત છે. તેઓ દેશદ્રોહીઓને અસલી શિવસેના કહી રહ્યા છે. જો તેઓ અસલી શિવસેના અને શિવસૈનિક છે તો પછી તેઓ કોણ છે (સામે ભેગા થયેલા ટોળાને હાથ બતાવતા)?

શિવસેનાને ઠાકરેથી અલગ કરવાનું ષડયંત્ર પૂરૂ નહીં થાય

અગાઉ શિવસેનાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે તેને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શિવસેનાએ જેમને ઉભા કર્યા છે, તેઓ શિવસેનાને ખતમ કરવાના કાવતરામાં લાગેલા છે. ભાજપને શિવસેના ખતમ કરવી છે અને મુંબઈમાં રાજ કરવું છે. આ મરાઠી માણસને ખતમ કરવાનું ષડયંત્ર છે. અમે આ ષડયંત્રને પૂરૂ થવા દઈશું નહીં.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/2UYvcMh
via IFTTT
I.T. engineer

Post a Comment