Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અનુરાગ ઠાકુરનો કેજરીવાલ પર કટાક્ષ, કહ્યું- તેઓ માત્ર માહોલ બનાવે છે… હિમાચલ અને ગુજરાતમાં ફરીથી બનશે ભાજપની સરકાર

Union Minister Anurag Thakur
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલજી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી ચૂક્યા છે, તમે તેમની હાલત જોઈ છે. આગળ અનુરાગ ઠાકુરે કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ જીતી શક્યા નથી, શું તમે ઉત્તરાખંડ, ગોવામાં તેમની હાલત જોઈ? કેટલીકવાર તેઓ મીડિયા દ્વારા માહોલ બનાવે છે પરંતુ જમીન પર કંઈ થતું નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, વર્ષના અંતમાં બીજેપી ફરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આવશે અને સરકાર બનાવશે. મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે જાણીતા છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો પરંતુ અમારી સીટો ઘટી નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/c0UWp9s
via IFTTT
I.T. engineer

Post a Comment