Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

નાગિન 6: દેશ બચાવતી વખતે નાગિન રિષભના પ્રેમમાં પડી ચુકી છે, ટૂંક સમયમાં થશે પ્રેમીઓનું મિલન

Pratha To Fall In Love With Rishbh

કલર્સ ટીવીના સૌથી લોકપ્રિય શો ‘નાગિન 6’માં (Naagin 6) અત્યાર સુધી આપણે ‘શેષ નાગિન’ પ્રથાને આપણા દેશ માટે લડતી જોઈ છે. પરંતુ હવે પ્રથા પ્રેમમાં પડી ગઈ છે. હા, પ્રથા તેના પતિ રિષભ ગુજરાલના પ્રેમમાં પડી ગઈ છે. જો કે, તે એટલું સરળ નથી કારણ કે પ્રથાનો પતિ રિષભ પહેલાથી જ કોઈ બીજાના પ્રેમમાં છે. વીતેલા એપિસોડમાં, તમે ગુજરાલ હાઉસમાં આયોજિત પાર્ટીમાં પ્રથા (Tejaswi Prakash), રીમ અને રિષભ (Simba Nagpal)ને સાથે ડાન્સ કરતા જોયા હતા. પ્રથા તેના પતિને કોઈ બીજા સાથે ડાન્સ કરતા જોઈને ખૂબ ગુસ્સે થઈ જાય છે પરંતુ તે પોતાની જાતને સમજાવે છે કે તેણે દેશના દુશ્મનને ખતમ કરવાના છે.

અત્યાર સુધીના એપિસોડ્સની વાર્તા

પ્રથા પર શંકા હોવાથી, રિષભ કોઈપણ સંજોગોમાં તેના ભાઈ સાથેના તેના લગ્ન અટકાવવા માંગે છે. જ્યારે તેને તેની સામે બીજું કોઈ કારણ દેખાતું નથી ત્યારે તે પોતે જ હિન્દૂ રિવાજ પ્રમાણે લગ્ન કરે છે. જો કે, જ્યારે રિષભના પરિવારના સભ્યો તેને આ વિશે પૂછે છે, ત્યારે તે જુઠ્ઠું બોલે છે કે તેને પ્રથા સાથે સાચો પ્રેમ થઈ ગયો છે. તે કહે છે કે જ્યારથી મેં પ્રથાને જોઈ છે ત્યારથી હું તેના પ્રેમમાં પડી ગયો છું. પરિવારના સભ્યો પણ રિષભની ​​વાત સાથે સંમત થાય છે અને રિષભ પ્રથા સાથે લગ્ન કરી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

જાણો શું છે રીમનું કાવતરું

જો કે, છેલ્લા એપિસોડમાં આપણે જોયું તેમ રિષભ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રીમ સાથેના તેના લગ્ન પાછળનું સાચું કારણ જણાવે છે. તેના મોઢેથી સત્ય સાંભળ્યા પછી, રીમ તેને ગળે લગાવે છે અને તેણી કહે છે કે તેણી રિષભને દરેક પગલે સાથ આપશે. પરંતુ જો પ્રથા આ સમગ્ર મામલે નિર્દોષ હશે તો તેણે પ્રથાને મુક્ત કરવી પડશે. રીમ અને રિષભ સાથે મળીને પ્રથા માટે ખાનગી જાસૂસની નિમણૂક કરે છે.

શું પ્રથા રિષભને છોડી દેશે?

 

View this post on Instagram

 

A post shared by Naagin 6 (@naagin_officiall)

વાસ્તવમાં, પ્રાઈવેટ ડિટેક્ટીવ રીમના કહેવા પર, તે રિષભને કહે છે કે તેમની તપાસ એકદમ સાચી છે અને પ્રથાનો કોઈપણ આતંકવાદી સંગઠન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. આ સાંભળીને રીમ રિષભને સમજાવે છે કે પ્રથાને તેને છોડી દેવી જોઈએ કારણ કે રિષભે પ્રથા સાથે બિલકુલ ખોટું કર્યું છે. રિષભ પણ રીમની વાતોમાં આવી જાય છે અને પ્રથાને કહે છે કે તે તેને બિલકુલ પ્રેમ કરતો નથી અને હવે તેને તેની ચિંતા કરવાની જરૂર નથી. હવે પોતાના દિલની સામે મજબૂર પ્રથાનો શું નિર્ણય આવશે તે તો સમય જ કહેશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

આ પણ વાંચો – Naagin 6: લાલ નાગીન તરીકે રશ્મિ દેસાઈ છવાઈ ચાહકોના હૃદયમાં, જુઓ તસવીરો



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Zsh817I
via IFTTT
I.T. engineer

Post a Comment