
ભારતીય અંડર-19 ટીમ માટે વર્લ્ડ કપ જીતવાથી લઈને ટીમ ઈન્ડિયા (Team India) માટે 100 ટેસ્ટ મેચ રમવા સુધી, વિરાટ કોહલી (Virat Kohli) એ ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે અને મોટી સિદ્ધિઓ મેળવી છે. વિરાટ કોહલીની કારકિર્દીના આ નિર્ણાયક તબક્કે, અંડર-19 ટીમમાં તેના સાથી ખેલાડી પ્રદીપ સાંગવાને વિરાટ કોહલીના રમત પ્રત્યેના ક્યારેય ન સમાપ્ત થવાના જુસ્સા વિશે વાત કરી. પ્રદીપ સાંગવાને અંગ્રેજી સમાચાર પત્ર સાથે વિરાટ કોહલી વિશે વાત કરતા કહ્યું કે, અમે બધા જાણતા હતા કે મોટી સદી ફટકારવાની આદતને કારણે વિરાટ કોહલી એક દિવસ ભારત માટે રમશે. આ શરૂઆતથી જ આદત છે. તે ઘણા રન બનાવતો હતો અને તે બધી સારી ટીમો સામે સ્કોર કરતો હતો.
તેણે વધુમાં કહ્યું કે, “તેમની માનસિકતા એવી હતી કે જો તે મોટી ટીમો સામે મોટો સ્કોર કરે છે, તો તેની ભારતીય ટીમમાં પસંદગી થવાની સંભાવના વધી જશે. લોકો પૂછશે, તેઓ તેમના વિશે ઓળખશે.” ભૂતપૂર્વ ક્રિકેટરે પ્રદીપ સાંગવાને વધુમાં કહ્યું કે, જ્યારે તે મેદાનની અંદર હોય છે, ત્યારે તે ક્યારેય હાર માનતો નથી.
તેને લાગે છે કે હું બસમાં છું, મારે એકલાએ બધું કરવાનું છે, હું આ જગ્યાનો રાજા છું. હું મારી ટીમ માટે આ મેચ જીતીશ. ડ્રેસિંગ રૂમની અંદર, તે એવા લોકોની શોધ કરશે કે જેની સાથે તે મજાક કરી શકે. તે ટિપ્પણી કરશે. તે વાતાવરણને હળવું રાખે છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલીક વાર ડ્રેસિંગ રૂમની અંદરની પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય છે.
આ પણ વાંચો : FIH Hockey Pro League: જર્મનીની મહિલા હોકી ટીમ ભુવનેશ્વર પહોંચી, 12 માર્ચે ભારત સામે મેચ
આ પણ વાંચો : German Open Badminton: પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંતનું દમદાર પ્રદર્શન, ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/thnP4DE
via IFTTT